home share

કીર્તન મુક્તાવલી

(૧) શીદને રહીયે રે કંગાલ રે સંતો

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

ભગવાનના ભક્તને શૂરવીર થાવું

પછી બાવાખાચરના દીકરા રાવતખાચર તથા અમરાખાચર અને વાંકિયાના એભલખાચર, સૂર્યખાચર વગેરે કાઠી આવ્યા અને મહારાજ તથા ભગતજીનાં દર્શન કરી ભગતજીની વાતો સાંભળવા બેઠા. ભગતજીએ તેમને વાત કરી, “જેને ભગવાનને પામવા હોય તેને ઇન્દ્રિયો, અંતઃકરણ જીતવાં અને શૂરવીર થાવું, પણ બકાલીથી ઇન્દ્રિયો જિતાય નહિ. માટે રાજ્યનીતિ શીખવી જે, ઇન્દ્રિયો, અંતઃકરણરૂપી પ્રજાને સાંઢ થવા દેવી નહિ અને એમ રહેવાશે તો જ જીવ બળિયો થશે અને ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિને જ્યાં દોરવી ઘટશે ત્યાં દોરી શકાશે. પણ અંતઃકરણ જો સાંઢ થઈ ગયાં તો જીવ હાર પામી જશે.”

તે ઉપર નિષ્કુળાનંદ સ્વામીનું પદ બોલાવ્યું કે –

શીદને રહીએ રે કંગાલ રે સંતો, શીદને રહીએ રે કંગાલ.

જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો... શીદને

પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ,

અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાં નિહાલ રે સંતો... ૧

રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ,

ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો... ૨

તેમ ભક્ત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ,

તે તો પામર નર જાણો પૂરા, હરિભક્તની ધરી છે ઢાલ રે સંતો... ૩

તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમજી એ સાલ,

નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજાં બજારી બકાલ રે સંતો... ૪

[ધીરજાખ્યાન]

“માટે જે અતિશય શૂરવીર થઈને ભગવાનને ભજે છે તેને ભગવાનનું સુખ આવે છે. તે ભગવાનનું સુખ એટલે નિર્ગુણ સુખ. અંતઃકરણમાં અખંડ શાંતિ અને આનંદ વર્તે. અને જેમ ધનના, દીકરાના, સ્ત્રીના અને ખાવાના સુખના હિસોરા જગતના મનુષ્ય રાત-દિવસ લે છે, તેમ ભગવાનનો ભક્ત ભગવાનના સુખના હિસોરા લે. એવા ભગવાનના ભક્તને જગતનું સુખ હોય જ નહિ. જુઓ, વિદુરજી ભગવાનના ભક્ત હતા, તેણે ભાજી ખાઈને ભગવાનનું ભજન કર્યું. દુર્યોધન જેવો ચક્રવર્તી રાજા તેનો ભત્રીજો હતો, પણ કોઈ દિવસ તેની પાસે કંઈ માગ્યું નહિ અને ઓલ્યાએ આપ્યું પણ નહિ. વળી, સુદામાએ તાંદુલ ખાઈને પ્રભુ ભજ્યા અને ભગવાન પાસે માગવા ગયા પણ મગાયું નહિ અને ભગવાને તો અંતરિક્ષમાં સોનાના મહેલ ગોલોકમાં હતા તે બતાવ્યા અને તે સુખે સુખિયા કરી દીધા કે દેહ મૂકીને આ ધામમાં બેસવાનું છે. પણ આ લોકમાં સોનાના મહેલ કંઈ થયા નહિ. એવું જો થાય તો રાજા લૂંટી જાય. માટે ભગવાનના ભક્તને આ લોકમાં તો દુઃખ જ હોય.”

ચાલું →

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત, પૃ. ૪૪૨]

(1) Shīdne rahīe re kangāl re santo

Sadguru Nishkulanand Swami

A Devotee of God Should Become Brave

The Kathis, including Bawa Khachar’s sons Ravat and Amra Khachar, Abhel Khachar of Vankiya and Surya Khachar, arrived there. After darshan of Acharya Maharaj and Bhagatji, they sat down to listen to Bhagatji’s talks.

Bhagatji said to them, “Those who want to attain God should conquer their senses, antahkaran and become brave; however, the senses cannot be won over by one who is like a petty shopkeeper. Learn the art of ruling and do not let the citizens - in the form of the senses and antahkaran - become arrogant. If one can sustain this, the jiva will become strong and one will be able to guide the vruttis of the senses and the antahkaran wherever one wants to. On the contrary, if the antahkaran becomes arrogant, the jiva will be defeated.”

Based on that, he recited Nishkulanand Swami’s verse: ‘Shidane rahie re kangāl re santo...’

“Thus, one who is extremely brave and worships God, receives the bliss of God. This bliss is nirgun bliss and such a person continually experiences bliss and peace in his antahkaran. Just as a worldly person takes pleasure in wealth, children, women and eating, a devotee of God partakes of God’s bliss. Such a devotee of God does not believe there to be happiness in the world. For example, Vidurji was God’s devotee. Surviving on spinach, he offered devotion to God. Even though King Duryodhan was his nephew, Vidurji never asked him for anything, nor did the latter give him anything. Sudama also worshiped God and ate only rice. He went specially to ask for help from God, but he could not bring himself to ask. God showed him the golden palaces of Golok in the sky. God also promised him that after leaving this body, he would grant him a place in that abode. There have never been

palaces of gold in this world. Even if there were, the king would take them. Thus, a devotee of God has to experience unhappiness in this world.”

continue →

[Brahmaswarup Shri Pragji Bhakta, Pg. 442]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase